સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 29 April 2016

આનંદીબેન સાથે પાટીદારોની મીટિંગ, હાર્દિકને જેલમુક્તિ માટે ચર્ચા - આનંદીબેન : અનામત મુદ્દે તેમણે આપ્યું હતું આવું જ નિવેદન!

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



આનંદીબેન સાથે પાટીદારોની મીટિંગ, હાર્દિકને જેલમુક્તિ માટે ચર્ચા

અમદાવાદ: સવર્ણો માટે 10 ટકા અનામતની જાહેરાત બાદ આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસસ્થાને પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે એક બેઠકનું આયોજન કરાયું હતું.  બેઠકમાં હાર્દિક પટેલને જેલમુક્તિ માટે અને પાટીદાર અનામત આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મીટિંગ પાંચ ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતાં. જ્યારે પાટીદાર અગ્રણીઓ જયરામ પટેલ, મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતાં. ગઇકાલે ત્રણ પાટીદારોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં, ત્યારે હવે હાર્દિકને પણ મુક્ત કરાવાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
 
સરકાર સકારાત્મક રીતે જલદી ઉકેલ લાવશે: મહેશ સવાણી

મુખ્યમંત્રી આનંદીબેન સાથેની મીટિંગમાં સુરતના પાટીદારો તરફી હાર્દિકે નિયુક્ત કરેલા મહેશ સવાણી અને મહેશ પટેલ હાજર રહ્યાં હતાં. જેમાં મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી સમક્ષ અમે જેલમાં બંધ પાટીદાર યુવકોને છોડવા અંગે વાત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવતાં કહ્યું હતું કે, ન્યાયતંત્ર પર ભરોસો રાખો. પાંચ યુવકોને જામીન મળી ગયા છે. અને આગામી સમયમાં પણ સરકાર સકારાત્મક રીતે જલદી ઉકેલ લાવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

CM સાથે પાટીદારોની EBC મુદ્દે ચર્ચા
ગુજરાત સરકાર દ્વારા ઈબીસી હેઠળ 10 ટકા અનામતની જાહેરાત બાદ શુક્રવારે મોડી સાંજે મધ્યસ્થીઓ હાર્દિક પટેલને મળવા માટે લાજપોર જેલ પહોંચ્યાં હતાં, પરંતુ હાર્દિકને વિસનગર જેલમાં લઈ જવાયો હોવાથી મળી શકાયું ન હતું. હવે સુરતથી સાત જેટલા પાટીદાર આગેવાનો આજે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળીને ઈબીસી અંગે સ્પષ્ટતા કરી હોવાનું જાણવા મળ્યું છે.

આનંદીબેન જેલમાં જશે? અનામત મુદ્દે તેમણે આપ્યું હતું આવું જ નિવેદન!

અમદાવાદ: છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના અંતે સરકારે બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઘણા વળાંક આવવાની સાથે રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અનામત આપવાની સંપૂર્ણ વિરુદ્ધ હતાં. ગત નવેમ્બર મહિનામાં રાધનપુર ખાતે જાહેરસભામાં તેઓ એવું પણ બોલી ગયા હતા કે, 'જો હું અનામત આપું તો મારે જેલભેગા થવાનો વારો આવે. બંધારણની જોગવાઈ મુજબ જેને અનામત મળી છે તેમાં વધારો કે ઘટાડો સરકાર ન કરી શકે. આ અંગે જે કઈ સુધારા કે વધારા કરવાના આવે તે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ કરી શકે.'
 
'જો હું અનામત આપું તો મારે જેલભેગા થવાનો વારો આવે'

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રાધનપુર ખાતે આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેને પટેલે અગ્રણીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અનામત મુદ્દે મારો સમાજ આપણી વિરુદ્ધ થઇ ગયો છે. પરંતુ અનામત એ તો બંધારણની જોગવાઈ મુજબ જેને મળી છે તેમાં વધારો કે ઘટાડો સરકાર ન કરી શકે. જે કંઈ સુધારા વધારા કરવાના આવે તે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ કરી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'જો હું તેમાં સુધારો વધારો કરું તો મારે જેલભેગા થવાનો વારો આવે.' 
 
'મારા સમાજને અનામતને રવાડે ચડાવવાનું કામ કોંગ્રેસનું'
 
રાધનપુરમાં જ આનંદીબેને કોંગ્રેસ પર આક્ષેપ મુકતાં જણાવ્યું હતું કે, મારા સમાજને અનામતને રવાડે ચડાવવાનું કામ કોંગ્રેસનું છે અને પાટીદાર સમાજને પણ આ બાબતની જાણ થઇ ગઈ હોવાથી તેઓ પરત આવી રહ્યા છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર, ખેડા અને આણંદ વિસ્તારમાં કોંગ્રેસ લોકોને દફેરનો ડર બતાવીને ઉજાગરા કરાવતી હતી અને ભય ફેલાવતી હતી. પરંતુ લોકો સમજી ગયા હતા કે આ કાવતરું કોંગ્રસનું છે. કોંગ્રેસ લોકોને ભરમાવી રહી છે અને ભાજપ વિરુદ્ધ ઘણા ષડયંત્ર કરી રહી છે.
 
'અનામત તો નહીં જ મળે'
 
પાટીદાર અનામત આંદોલનની શરૂઆતથી અક્કડ આનંદીબેન પટેલે અમરેલીના એક સભા દરમિયાન ચોખ્ખા શબ્દોમાં અનામત નહીં આપવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, પાટીદારોને તેમની સરકાર અનામત નહીં જ આપે, કાયદા પ્રમાણે હવે 50% થી ઉપર અનામત આપી શકાય નહીં એટલે પાટીદારોની આ માંગણી ખોટી છે.
 
'આવા આંદોલન તો થયા કરે'
 
17મી એપ્રિલે મહેસાણા ખાતે પાટીદારોના જેલભરો આંદોલન દરમિયાન પાટીદારો અને પોલીસ સામ-સામે આવી ગઇ હતી. મહેસાણામાં થયેલી હિંસાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા, ત્યારે એક બાજુ મહેસાણામાં સ્થિતિ વણસી રહી હતી અને બીજી બાજુ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આદિવાસી લાભાર્થી ઓને જમીન ફાળવણીના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા ત્યારે પત્રકારો દ્વારા મહેસાણામાં આજે આંદોલન દરમિયાન સર્જાયેલી ધટનાને અંગે પ્રશ્ન પૂછતાં તેમણે જવાબ આપ્યો હતો કે, આંદોલનો તો થયા કરે, અમારું કામ તો સેવા કરવાનું છે. પાટીદાર અનામત આંદોલનના મુદ્દે તેમણે કહ્યું હતું કે કયું આંદોલન? એવો પ્રશ્ન કરીને તેમને સાબિત કરી દીધું છે કે સરકાર પાટીદારો સામે નમતું જોખવા માટે તૈયાર નથી. 
 
 Source :- http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1283964-NOR.html?seq=1
 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/