સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 16 October 2017

આગામી ચૂંટણીમાં ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને ગામમાં પ્રવેશબંધી કરવા હાર્દિક પટેલનું એલાન - મોદી વિજય અભિયાનનો શંખ ફુંકશેઃ ઐતિહાસિક સંમેલનને સંબોધન - 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી' વાઇરલ થયું - વેપારીઓ આનંદો... GSTના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલાશે

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

આગામી ચૂંટણીમાં ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને ગામમાં પ્રવેશબંધી કરવા હાર્દિક પટેલનું એલાન
સરકારને જનમેદની એકત્ર કરવા ૮૦૦ બસ લાવવી પડે અને ફુડ પેકેટ આપવા પડે, અહીં સ્વૈચ્છીક રીતે લોકો ઉમટયાઃ લલીત વસોયા - ભાયાવદરમાં પાસ દ્વારા રોડ-શો સભા
આગામી ચૂંટણીમાં ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને  ગામમાં પ્રવેશબંધી કરવા હાર્દિક પટેલનું એલાન
      ભાયાવદર, તા. ૧૬ :. શનિવારે ભાયાવદરમાં હાર્દિક પટેલનો રોડ શો અને સંકલ્પ સભા યોજાઈ હતી. હાર્દિક પટેલ સહીત સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર પાસની ટીમનું બપોરે ૩ કલાકે આગમન થતા જાગનાથ મંદિર પાસે કુમ કુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કરેલ. ત્યાર બાદ ૧૦,૦૦૦ જેટલા અભૂતપૂર્વ પાટીદાર ભાઈ-બહેનોની હાજરી સાથે જય સરદાર - જય પાટીદારના નારા સાથે ડી.જે. સથવારે રોડ શો ભાયાવદર શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થયેલ. રોડ શો દરમ્યાન હાર્દિક પટેલની અભિવાદન યુવાનો, વડીલો તેમજ બહેનોએ કર્યુ હતું.
      જૂના બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફુલહાર કરીને જય સરદારના નારા લગાવ્યા હતા.
      રોડ શો પટેલનગરમાં પહોંચેલ કે, જ્યાં સંકલ્પ સભા યોજાયેલ હતી. આ સભામાં હાર્દિક પટેલ, લલીતભાઈ વસોયા, વરૂણ પટેલ, મનોજભાઈ પનારા, નયનભાઈ જીવાણી તેમજ વલ્લભભાઈ માકડીયા, રેખાબેન સીણોજીયા તેમજ ઉપલેટા, કોલકી, મોટી પાનેલી, જામજોધપુર, લાલપુર સહિતની પાસની ટીમે હાજરી આપેલ હતી.
      આ સંકલ્પ સભામાં ભાયાવદરની જુદી જુદી જ્ઞાતિના આગેવાનો, સામાજીક સંસ્થાના હોદેદારોએ હાર્દિક પટેલનું હારતોરાથી અભિવાદન કરેલ હતું.
      આ સંકલ્પ સભામાં વરૂણ પટેલ, માનોજભાઇ પનારાએ આવનારી ચૂંટણીમાં ભાજપને સબ આપવા હાકલ કરેલ હતી.
      સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલીતભાઇ વસોયાએ જણાવેલ કે સરકારને આટલી મેદની ભેગી કરવા માટે ૮૦૦ બસની જરૂર પડે અને ફુડ પેકેટ આપવા પડે તો પણ આટલી મેદની ન આવે ત્યારે અહીંયા તો સમગ્ર પાટીદાર સમાજ સ્વેચ્છીક રીતે આવેલ છે અને આવી જ એકતા જાળવવા જણાવેલ હતું.
      હાર્દિક પટેલે પોતાના આગવી શૈલીમાં જય સરદાર જય પાટીદારના નારા સાથે શરૂઆત કરેલ તેમને જણાવેલ કે આગામી ચૂંટણી દરમ્યાન ગમે તેવા પ્રલોભનો આવે તો પણ આપણી પાટીદાર સમાજની એકતા તૂટવી ન જોઇએ અને અનામત નહિ આપે તો ભાજપને હરાવીને જ જંપશું એવો હુંકાર કરેલ હતો.
      તેમણે જણાવેલ કે સરકારમાં બેઠેલ આપણા ૪૪ બાઘડ બીલ્લાઓને કોઇ જ અવાજ ઉઠાવી શકતા નથી આ લોકોને મુળમાંથી ઉખેડીને ફેંકી દેવા જણાવેલ.
      હાર્દિક પટેલે જણાવેલ કે આગામી ચૂંટણી દરમ્યાન ભાજપના પ્રધાનો કે ધારાસભ્યોને ગામમાં પ્રવેશ બંધી કરવી એવો હુંકાર કરતા જનમેદનીએ વધાવી લીધેલ હતી.
      બહેનોની વિશાળ હાજરીને આહવાન કરેલ કે ફરીથી થાળી, વેલણ તૈયાર કરી રાખજો અને આ વેલણનો ઉપયોગ છોકરાઓને મારવા માટે નહિ દુશાસન કરનાર શાસકો સામે ઉગાવવા હાકલ કરી હતી.
      સમગ્ર સભા દરમ્યાન જય સરદાર-જય પાટીદારના નારા સતત ચાલુ રહ્યા હતાં. આભારવિધી રાજકોટ જીલ્લા પાસના સહુ કન્વીનર નયનભાઇ જીવાણીએ કરી હતી.
Source :- http://www.akilanews.com/16102017/saurashtra-news/1508134173-75947
મોદી વિજય અભિયાનનો શંખ ફુંકશેઃ ઐતિહાસિક સંમેલનને સંબોધન
બપોર બાદ ગાંધીનગરના ભાટ ખાતે પેજ પ્રમુખોનું મહાસંમેલનઃ પીએમ, ભાજપ અધ્યક્ષ એક મંચ ઉપરઃ કાર્યક્રમમાં ૭ લાખ કાર્યકરો ઉપસ્થિત રહેશેઃ પેજ પ્રમુખોના ગૌરવ મહાસંમેલન થકી શકિતના મહાયુધ્ધનો શંખનાદ ફુંકશેઃ ભાજપને આશીર્વાદ આપવા બદલ હું પ્રજા સમક્ષ નત મસ્તક છું: પ્રવાસ પુર્વે મોદીનું ટવીટ્
મોદી વિજય અભિયાનનો શંખ ફુંકશેઃ ઐતિહાસિક સંમેલનને સંબોધન
   નવી દિલ્હી તા.૧૬ : ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા ભાજપે પુરેપુરી તાકાત લગાવી છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા પીએમ મોદી આજે પ્રજાને ભાજપ તરફ ખેંચવાનો અંતિમ પ્રયાસ કરશે. આજે તેઓ બપોરબાદ ગાંધીનગર નજીકના ભાટ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા સમાપન સંમેલનને સંબોધન કરશે. ભાજપનો દાવો છે કે સાત લાખ કાર્યકરો તેમાં ભાગ લેશે. ભાજપનું કહેવુ છે કે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો આ પહેલા કોઇ પક્ષની રેલીમાં એકઠા થયા નથી તેથી તે ઐતિહાસિક રહેશે. આ દરમિયાન ગુજરાતના સીએમ વિજય રૂપાણી, ભાજપના અધ્યક્ષ શાહ અને અન્ય નેતાઓ હાજર રહેશે. પીએમ મોદીએ આજે ગુજરાતની મુલાકાત પુર્વે ટવીટ્ કર્યુ છે કે ગુજરાતની ગૌરવ યાત્રાઓમાં જનશકિતનો ઉત્સાહ જોવા મળ્યો છે અને વિકાસ તથા સુશાસનની રાજનીતિમાં ગુજરાતનો દ્રઢ વિકાસ છલકયો છે. દાયકાઓ સુધી ભાજપને આશીર્વાદ આપવા માટે હું ગુજરાતના લોકો સમક્ષ નત મસ્તક છું. અમે સંપુર્ણ શકિત અને પુરૂષાર્થથી દરેક ગુજરાતીઓના સપના પુરા કરશુ.
   આજે બપોરે ૩ વાગ્યે આ સંમેલન શરૂ થવાનુ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણીના કહેવા મુજબ આયોજન સ્થળે ૧૦ લાખ લોકોની વ્યવસ્થા કરી છે.
   ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે મુખ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેરાત કરી શકે એવી દ્યડીઓ ગણાઇ રહી છે. તેને અનુલક્ષીને આજે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ એક મંચ ઉપરથી સાત લાખ પેઇજ પ્રમુખોના ગૌરવ મહાસંમેલન થકી ચૂંટણીના મહાયુદ્ઘનો શંખનાદ ફૂંકયો છે. બન્ને રાષ્ટ્રીય નેતાઓ પહેલી વખત એક મંચ ઉપરથી રાજયની જનતાને એક સ્પષ્ટ સંદેશો આપી રહ્યા છે.
   ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આવેલા ભાટ ટોલ નાકા પાસે પાંચ લાખ ચોરસ મીટર વિસ્તારમાં આજે બપોરે ૩ વાગ્યે ગૌરવ મહાસંમેલનને સંબોધવા માટે પીએમ મોદી બપોરે અમદાવાદ આવ્યા છે અને ત્યાંથી જ સીધા નવી દિલ્હી પરત ફરનાર છે. આ મહાસંમેલનમાં પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, સીએમ વિજયભાઇ રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિનભાઇ પટેલ, પ્રમુખ જીતુભાઇ વાદ્યાણી, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ઉપરાંત અન્ય આગેવાનો કાર્યકરોને માર્ગદર્શન આપશે. મહાસંમેલન એ ચૂંટણીની જાહેરાત થાય એ પૂર્વેનું ભાજપનું શકિત પ્રદર્શન માનવામાં આવી રહ્યું હોવાથી આજે બપોરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ત્રણેક કલાક સુધી પ્રમુખ જીતુ વાદ્યાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
   નરેન્દ્રભાઇ મોદી ૨૨-૨૩ ઓકટોબરે ફરી ગુજરાતમાં
   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૧૭ ઓકટોબરનો કાર્યક્રમ મોકૂફ રહ્યા પછી હવે તેમનો દિવાળી પછી તુરંત જ બે દિવસનો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે. ૨૨મીએ  વડોદરામાં ત્રણેક મોટા કાર્યક્રમોમાં હાજરી આપશે. ૨૩મીએ ભાવનગરમાં રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરી પરત ફરશે. સંભવતૅં એ જ દિવસે સાંજે ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણી જાહેર કરી શકે છે. જો કે મળતી વિગત મુજબ ર૪ કે રપ અથવા રજી નવેમ્બર પછી તારીખો જાહેર થાય તો નવાઇ નહી. આમ, પીએમના કાર્યક્રમને લીધે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૨૨ને બદલે ૨૪મીથી શરૂ થશે.
   બે  તબક્કે  ગૌરવ યાત્રા ૧૩૯ મતવિસ્તારમાં ફરી
   પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાદ્યાણીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇએ પ્રારંભ કરાવેલી બે ચરણની ગુજરાત ગૌરવ યાત્રા ૪૪૭૧ કિલોમીટરનો પ્રવાસ કરી ૧૩૯ વિધાનસભા મતવિસ્તારોને આવરી લઇને ગઇકાલે પૂરી થઇ છે. આ યાત્રાઓ દરમિયાન ૧૧૯ સભાઓ તેમણે અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે સંબોધી હતી.
   ભાજપની યાત્રાને સમગ્ર રાજયમાં વ્યાપક આવકાર મળ્યો છે. છેક બુથ લેવલના સંગઠનના કાર્યકરો ચૂંટણીમાં ભાજપને ૧૫૦ પ્લસ બેઠકો પર વિજય માટે સંપૂર્ણ સક્રિય થઇ ચૂકયા છે તેવું સ્પષ્ટ જણાય છે એની સાથોસાથ જનતા પણ ભાજપના શાસનમાં થયેલા વિકાસ અને ભાજપ જ વિકાસ કરી શકે છે એ વિશ્વાસ સાથે પુનૅં એક વખત સાથ આપવાનું મન બનાવી ચૂકી છેSource :- http://www.akilanews.com/16102017/main-news/1508127363-116044

'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી' વાઇરલ થયું
કોંગ્રેસે ૪ વિડિયો અને ૩૦ પોસ્ટર રીલીઝ કર્યા
   અમદાવાદ તા. ૧૬ : રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઈબર વોર ખેલાઈ રહ્યું છે. જેમાં 'વિકાસ ગાંડો થયો છે'નું સ્લોગન સુપર-ડુપર 'હીટ'સાબિત થયું છે. કોંગ્રેસને આ સ્લોગને અપાવેલી પ્રસિદ્ઘિ સોશિયલ મીડિયાના અત્યારસુધીના ઈતિહાસમાં અજોડ ગણાય તેવી છે. આ સ્લોગનની સફળતાને પગલે કોંગ્રેસે હવે ભાજપ સામેના આ સાઈબર વોરને વધુ તેજ બનાવતાં 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી'નામથી ૪ વીડિયો અને ૩૦ પોસ્ટર રિલીઝ કર્યા છે.
   શનિવારે રિલીઝ કરાયેલાં આ કેમ્પેઈનના ચોટદાર સંવાદોએ એક જ દિવસમાં ટ્વિટર, વોટ્સએપ અને ફેસબુક પર એવી ધૂમ મચાવી કે, સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દેશમાં સોશિયલ મીડિયામાં તેને ટોપ ટ્રેન્ડમાં સ્થાન મળ્યું હતું. ભાજપના 'અડીખમ ગુજરાત, હું છું. વિકાસ'સામે કોંગ્રેસ આગામી સોમવારે 'હું છું શાણું ગુજરાત, હું જાણું છું ગાંડો વિકાસ'ની થીમ પર નવા ૮ વીડિયો રિલીઝ કરશે.
   એક સમયે ચૂંટણી દિવાલ પર સૂત્રો લખીને, પડદા-પોસ્ટર બાંધીને લડાતી હતી પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં ટેકનોલોજીમાં આવેલી ક્રાંતિને કારણે હવે આ લડાઈ મોબાઈલ ફોન, વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર લડાઈ રહી છે. દેશમાં ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી સુધી સોશિલય મીડિયાની આ તાકાતનો કોઈને અંદાજ આવ્યો ન હતો પરંતુ રાજયના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીની આ ક્રાંતિનો ભરપૂર ઉપયોગ કરીને યુવાનોને ભાજપ તરફ આકર્ષવાનો ઈતિહાસ રચી દીધો હતો અને સોશિયલ મીડિયાની આ તાકાતને ભલભલા ચમરબંધીઓએ સ્વીકારવી પડી હતી.
   સોશિયલ મીડિયાની આ ક્ષમતાને પારખીને કોંગ્રેસે આ વખતે ભાજપ સામે ચૂંટણીમાં સોશિયલ મીડિયા મુખ્ય શસ્ત્ર બનાવીને ભાજપને ભીંસમાં મૂકી દીધું છે. 'વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા,' જેવા સ્લોગન બાદ હવે કોંગ્રેસે ભાજપના અહંકાર, અન્યાય અને ખોટા વચનોને આધાર બનાવીને 'છેલ્લી દિવાળી'નું સૂત્ર વહેતુ કર્યું છે.
   રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ભાજપે ગુજરાતમાં ગૌરવ યાત્રા થકી પ્રચાર માટે રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ સહિતના જુદા જુદા રાજયોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે ભાજપના નેતાઓને ચૂંટણી ટાણે ગુજરાત કેમ યાદ આવ્યું છે તેની યાદ અપાવવા કોંગ્રેસની આઈટી સેલે 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી'માં વ્યકત કર્યા છે. કોંગ્રેસના ઓલ ઈન્ડિયાના મીડિયા કો-ઓર્ડિનેટર રોહન ગુપ્તા આક્ષેપ કરતા કહે છે કે, કેન્દ્રમાં કોંગ્રેસની શાસન હતી ત્યારે ગુજરાત ભાજપે કેન્દ્રના અન્યાયની બૂમો પાડીને કોંગ્રેસને બદનામ કરી હતી અને અનેક ચૂંટણી વચનો આપ્યા હતા પરંતુ એ આજ સુધી કાગળ પર જ રહ્યા છે.
   ભાજપ જૂના વચનો સાથે નવેસરથી વચનોની લહાણી કરીને છેતરવા નીકળ્યા હોવાની લાગણી ગુજરાતની જનતામાં પ્રવર્તી રહી છે. અમે લોકોની આ લાગણીને વાચા આપવા અગાઉ 'મારા હાળા છેતરી ગયા'નું સ્લોગન વહેતુ કર્યું હતું.
   પ્રજાએ જાણે પોતાની લાગણીનો પડઘો પડ્યો હોય તેવી રીતે આ સ્લોગનોને આવકાર્યા છે તેથી અમે નાગરિકોના મનમાં ઘર કરી ગયેલી આવી ભાવનાને સોશિયલ મીડિયામાં વાચા આપી રહ્યા છીએ અને તેથી જ અમારા નવા સ્લોગનો સમગ્ર દેશમાં ટોપમાં 'ટ્રેન્ડ'થઈ રહ્યા છે.
 Source :-http://www.akilanews.com/16102017/gujarat-news/1508129511-64776
વેપારીઓ આનંદો... GSTના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલાશે
ગુજરાતમાં બે પક્ષ વચ્ચે સ્પર્ધા, ત્રીજા રાજકીય પક્ષને કોઇ સ્થાન નથીઃ ભાજપ અધ્યક્ષ
વેપારીઓ આનંદો... GSTના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલાશે
   નવી દિલ્હી તા. ૧૬ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે રવિવારે સાંજે ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલના ચુનાવ મંચ કાર્યક્રમમાં પ્રશ્નોત્ત્।રી દરમિયાન જણાવ્યું હતું કે, જીએસટીનો મુખ્ય હેતુ વ્યાપારીઓને હેરાન કરવાનો નહિ પરંતુ દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવાનો છે.
   ચેનલના એડિટર રજત શર્માએ પુછેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં અમિતભાઇએ જણાવ્યું હતું કે, જીએસટી અંગે વેપારીઓને પડતી હાલાકી સંદર્ભે કેન્દ્ર સરકારે ફીડબેક મેળવ્યા હતા, એક સમિતિએ દેશના તમામ વર્ગના વેપારીઓ, લઘુ ઉદ્યોગના પ્રતિનિધિઓ, કોન્ટ્રાકટરો તથા કોર્પોરેટ ગૃહો સાથે તેઓની સમસ્યા અંગે ચર્ચા કરી હતી અને મહદઅંશે આ સમસ્યાઓ ઉકેલવા માટેની જાહેરાતો ગત સપ્તાહે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કરાઇ હતી. હજુ ત્રણ ચાર પડતર મુખ્ય માગણીઓ અંગે રજૂઆતો મળી છે એ અંગેનો નિર્ણય સંભવતઃ આગામી ૧૯-૨૦ ઓકટોબરના રોજ મળનારી સમિતિની બેઠકમાં લેવાશે.
   ટૂંકમાં જીએસટી અંગેના વ્યાજબી ઉકેલનો સંકેત આપતા અમિતભાઇએ વેપારીઓને અને ઉપસ્થિત નાગરિકોને એક સવાલ પૂછ્યો હતો કે, શું માત્ર ટેકસ પ્રણાલીથી જ સારો વહીવટ ચાલી શકે? શું ગુજરાતની જનતા સારી કાનૂન વ્યવસ્થા, ભ્રષ્ટાચાર મુકત અને કરફયુમુકત ગુજરાત નથી ઇચ્છતું?
   તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં કાનૂન અને વ્યવસ્થા સુપેરે જળવાઇ છે પરિણામે વ્યાપાર અને ઉદ્યોગનો વિકાસ થયો છે. શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પના કારણે ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કે નુકસાન એવા પ્રશ્નના ઉત્તરમાં અમિત શાહે જણાવ્યું હતં કે, ગુજરાતમાં માત્ર બે જ મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા રહે છે. અન્ય રાજકીય પક્ષોનું કોઇ ખાસ વજુદ હોતું નથી.
   બુલેટ ટ્રેન પ્રોજેકટથી શુ ભાજપને ફાયદો મળશે એવા અન્ય એક સવાલના જવાબમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાજપે ગુજરાતમાં બુલેટ ટ્રેન સહિત વિકાસના અનેક કામો કર્યા છે અને પ્રોજેકટ્સ શરૂ કર્યા છે તેનો લાભ ભાજપને જરૂર મળશે.

 Source :-http://www.akilanews.com/16102017/main-news/1508129713-116049
 
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday 12 October 2017

માત્ર લોલીપોપ આપે છે સરકારઃ પાટીદાર સામે ૧૪૦૦ કેસ છે અને પાછા ખેંચાશે માત્ર ૧૭૮ - રોજીંદા વપરાશની ૧૦૦ જેટલી ચીજવસ્તુઓ પરનો GST ઘટશે - ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણીઃ વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર વચ્ચે જંગ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

માત્ર લોલીપોપ આપે છે સરકારઃ પાટીદાર સામે ૧૪૦૦ કેસ છે અને પાછા ખેંચાશે માત્ર ૧૭૮
પાસનો સનસનીખેજ આરોપઃ જે કેસ જાહેરનામાના ભંગના છે તે જ પાછા ખેંચાશેઃ ગંભીર કહી શકાય તેવા કેસ અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથીઃ હાર્દિક પટેલ કહે છે કે, સરકારની જાહેરાત ચૂંટણી લક્ષીઃ નિર્દોષ લોકો સામેના કેસ પાછા ખેંચવા જોઇએ
   નવી દિલ્હી તા.૧૩ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગઇકાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જેને પાસએ લોલીપોપ ગણાવી છે. પાસનું કહેવુ છે કે પાટીદારો સામે ૧૪૦૦ કેસ છે જેમાંથી માત્ર ૧૭૮ કેસ પાછા ખેંચાશે. પાસના અગ્રણી હાર્દિક પટેલે કહ્યુ છે કે, કોઇ કેસ પાછા ખેંચાયા નથી. સરકાર ચૂંટણી લક્ષી જાહેરાતો જ કરે છે. સરકારે સમાજ માટે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. સરકાર પ્રચાર કરે છે પરંતુ અમલીકરણ કરતી નથી.
   દરમિયાન પાટીદારો સામે રાજયભરમાં ૧૪૦૦ ગુના નોંધાયા છે તેમાંથી ગણીને માત્ર ૧૭૮ જેટલા કેસ પાછા ખેંચવાની વાત છે જે કેસ જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવ્યો હોય તે છે. તેવુ પાસના સુરતના કન્વીનરે કહ્યુ છે. પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવીયાનું કહેવુ છે કે જે કિસ્સામાં આઇપીસીની કલમ ૧૪૪ અને ૧૮૮ એટલે પો.કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવાના ગુના હોય તેવા જ કેસ પાછા ખેંચવાની વાત છે. આવા કેસ રાજયમાં ૧૭૮ છે જયારે સુરતમાં ૧૮થી વધુ છે.
   તેમનુ કહેવુ છે કે વાસ્તવમાં તો જે કેસ ગંભીર પ્રકારના કહી શકાય તેવા કેસની વાત સરકારે કરવી જોઇએ તેના બદલે મામુલી કેસના નામે સરકાર ખોટો જશ ખાટવા નીકળી છે. સરકારની આ નીતિ સામે પાસ નારાજ છે. પાસ અને સરકાર વચ્ચે તાજેતરમાં બેઠક યોજાઇ હતી જેમાં સરકારે પાટીદારોના આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની તૈયારી દર્શાવી હતી. બેઠકમાં અનામત અંગે કોઇ નિર્ણય નહી લેવાતા પાટીદારોએ બેઠકમાં જ વિરોધ કર્યો હતો. સરકારે ગઇકાલે કહ્યુ હતુ કે, કુલ ર૩પ જેટલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે.
Source :- http://www.akilanews.com/13102017/main-news/1507868876-115887
રોજીંદા વપરાશની ૧૦૦ જેટલી ચીજવસ્તુઓ પરનો GST ઘટશે
સફેદ ચોકલેટ, મસ્ટર્ડ સોસ, કસ્ટર્ડ પાઉડર, શેમ્પુ અને વાળમાં લગાડવામાં આવતા ક્રિમ પરના દરોને ૧ર ટકાથી ૧૮ ટકા વચ્ચે નક્કી થાય તેવી શકયતાઃ ૯મી નવેમ્બરે કાઉન્સીલની બેઠકઃ સ્ટેશનરી પ્રોડકટની ચીજવસ્તુઓ પરનો જીએસટીનો દર પણ ઘટશેઃ સરકાર માને છે કે જીએસટીના દરોમાં સમાનતા નથી
રોજીંદા વપરાશની ૧૦૦ જેટલી ચીજવસ્તુઓ પરનો GST ઘટશે
   નવી દિલ્હી તા.૧૩ : કેન્દ્ર સરકાર રોજબરોજના ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓ પર ટુંક સમયમાં જીએસટીના દરોમાં ઘટાડો જાહેર કરશે. જીએસટી પરીષદ લોકો સાથે જોડાયેલી ચીજવસ્તુઓ ઉપરના દરો ઘટાડવા આવશે. હવે પછીની જીએસટી પરીષદની બેઠક ૯મી નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં સફેદ ચોકલેટ, મસ્ટર્ડ સોસ, કસ્ટર્ડ પાઉડર, શેમ્પુ અને વાળમાં લગાડવામાં આવતા ક્રિમ પરના દરોને ૧ર ટકાથી ૧૮ ટકા વચ્ચે નક્કી થાય તેવી શકયતા છે. અત્યારે આ બધી વસ્તુઓ ઉપર ર૮ ટકા જીએસટી લાગુ છે. આ જ પ્રકારે સ્ટેશનરી સાથે જોડાયેલી ચીજવસ્તુઓ જેમ કે ફાઇલો, પુસ્તકોના બાઇન્ડીંગ સાથે જોડાયેલી સામગ્રી, લેટર કલીપ્સ, લેટર કોનર્સ, પેપર કલીપ્સ, ઇન્ડેકસીંગ, ટેગ અને ઓફિસમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ પર ૧૮ ટકા ટેકસ લાગુ કરવામાં આવ્યો હતો.
   સરકાર એવી ચીજવસ્તુઓ ઉપરના ટેકસના દરને ઘટાડવા વિચાર કરી છે જે રોજબરોજ લોકો સાથે જોડાયેલ હોય અને લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા હોય. સરકાર ૧૦૦થી વધુ ચીજવસ્તુઓના દર ઘટાડશે કે જેનો ઉપયોગ રોજીંદા વપરાશમાં થતો હોય. આમાંથી મોટાભાગની ચીજવસ્તુઓના કરના દર ર૮ ટકા રાખવામાં આવેલ છે. સરકાર દરોમાં ઘટાડો કરવાની સમીક્ષા કરી રહી છે. રોજબરોજમાં ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓ પર જીએસટીના દરોમાં સમાનતા નથી. આ જ કારણ છે કે આવી વસ્તુઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેના પર ગત બેઠકમાં ચર્ચા થઇ હતી. સરકાર ત્રણ મહિનાથી સતત આ મુદે વિવિધ પક્ષકારો પાસેથી સુચનો લઇ રહી છે.
   જીએસટી પરીષદની રરમી બેઠકમાં રર વસ્તુઓ તથા પાંચ સેવાઓના ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે આગામી બેઠકમાં વધુ ચીજવસ્તુઓ ઉપર ટેકસ ઘટાડવા તૈયારી કરવામાં આવી રહી છે. ઉદ્યોગ સંગઠનોએ પણ ટેકસ ઘટાડો કરવાની માંગણી કરી છે. રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પરનો ટેકસ ર૮ ટકા ટેકસ હોવો ન જોઇએ તેવી સંગઠનોની માંગણી છે.
Source :- http://www.akilanews.com/13102017/main-news/1507868897-115888

ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણીઃ વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર વચ્ચે જંગ
ચૂંટણી મોદી સરકાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્નઃ મોદી - શાહની જોડીના નાકનો સવાલઃ પ્રથમવાર ચોપાંખિયો જંગઃ પાટીદારો - દલિતો કિંગ મેકરની ભૂમિકામાં
ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણીઃ વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર વચ્ચે જંગ
   નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ચાલો જાણી લઈએ આ ચૂંટણીના કેટલાંક મહત્વપૂર્ણ પાસા. ગુજરાતમાં મોદીના સીએમ તરીકેના વળપણ હેઠળ ચૂંટણી યોજવામાં આવતી હતી, પણ પ્રથમવાર ૧૮ વર્ષ બાદ મોદી વગર ચૂંટણી લડવામાં આવશે. માત્ર મોદી માટે નહીં મોદી સરકાર માટે પણ આ પ્રતિષ્ઠાનો સવાલ છે.સાથોસાથ પીએમ મોદી અને અમિત શાહની જોડીના નાકનો સવાલ છે.
   બીજી તરફ અણધાર્યા રાહુલે ગુજરાત ગજવી દેતા કોંગ્રેસ હાલમાં જોરમાં છે. ત્યારે એક એવો પ્રશ્ન પણ છે કે શું ભાજપ અને કોંગ્રેસ માટે આરપારની લડાઈમાં કોઈ ત્રીજો ફાવશે ? એ વાત વિરોધીઓએ પણ સ્વીકારવી પડે કે મુર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસમાં હાલ પ્રાણ ફૂંકાયા છે. રાહુલે એકલે હાથે તેમાં પ્રાણ પૂર્યા તેમ પણ કહી શકાય.
   હાલની પરિસ્થિતિની જો સમીક્ષા કરવામાં આવે તો કોગ્રેસમાંથી ભાજપ જોડાયેલા એમએલએની સ્થિતિ ન ઘર કા ન ઘાટ કા જેવી છે. ગુજરાતમાં પ્રથમ વાર ચૂંટણી વિકાસ અને વિકાસના એન્કાઉન્ટર પર ફોકસ થઈ છે.
   ગુજરાતમાં પ્રથમ વાર ચૌ પાંખિયો જંગ ખેલાય રહ્યો છે. બાપુ પર સૌની નજર છે. બાપુની જનવિકલ્પ અને કેજરીવાલની આપ કોઈનું ગણિત બગાડી શકે છે કે કેમ તે એક મુદ્દો છે.
   આમતો ભાજપ-કોગ્રેસ વચ્ચે મુખ્ય લડાઈ છે આમછતાં પાટીદાર, દલિતો કિંગ મેકરની ભૂમિકામાં છે. ગુજરાતના કુલ મતદારોમાં ૨૦ ટકા પાટીદારો વિજયનું  ગણિત બદલી શકે છે. દલિતોની ઉપેક્ષા પણ સરકારને ભારે પડી શકે છે. જો કે દલિત વાલ્મિકી સમાજને ખુશ કરવા સરકાર તમામ જોર લગાવી રહી છે. આમછતાં ગુજરાતના રાજકારણમાં આ પ્રથમ ઘટના છે કે ત્રણ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી જોવા મળ્યા.
   બીજેપીનો ૧૫૦ નો ટારગેટ કેવી રીતે પુરો થશે તે એક પ્રશ્ન છે કારણકે ખુદ કાર્યકરો નિરુત્સાહ છે. બીજી તરફ ભાજપની તમામ નબળાઈ કોગ્રેસનો મોટો ફાયદો કરાવશે. ગુજરાતમાં કોગ્રેસ બે દશકાથી સત્તા બહાર છે ત્યારે હવે તેના માટે સોનેરી તક છે. ભાજપ વિકાસનુ બ્યુગલ વગાડી રહ્યું છે ત્યારે કોંગ્રેસ વિકાસના એન્કાઉન્ટરનું સાથોસાથ નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા સાથે ઉઘોગપતિઓની સરકારનું બ્યુગલ વગાડે છે. ગુજરાતમાં ૧૮ વર્ષની ભાજપનુ રાજ છે પણ હવે શિક્ષિતો  સજાગ બન્યા છે.
   દેશના વડાપ્રધાને ગુજરાતની એક વર્ષમાં ૧૨ વાર મુલાકાત લીધી હોય તેવી આ પહેલી ઘટના છે. રાહુલ ગાંધીએ છેલ્લા ૩ માસમાં ગુજરાતની ૩ મુલાકાત લેતાં ભાજપ ચિંતામાં આવી ગયું છે. રાહુલ ગાંધીના પ્રવાસમા જન મેદની વધી છે જયારે ગૌરવ યાત્રા ફિકી પડી ગઈ છે તે પણ દીવા જેવી હકીકત છે.
   ૧૮ વર્ષથી સત્ત્।ા બહાર રહેલી કોંગ્રેસે પ્રથમ વાર એકજુટતા બતાવી છે. ભાજપનો જે રીતે વિરોધ કરતો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે આ ઉપસતા ચિત્રો વચ્ચે પણ ગુજરાતનો મતદાર કોના પર કળશ ઢોળશે તે તો સમય આવે જ ખબર પડશે.
 Source :-http://www.akilanews.com/13102017/main-news/1507870850-115891
 
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો - આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન - રાજ્યના ૫૩૨ જેટલા પી.એસ.આઇ.ની બદલી

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન
ચૂંટણી આવી રાહતો લાવીઃ રાજય સરકારે વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાન પહેલા કરી અનેક રાહતલક્ષી જાહેરાતો : અમદાવાદ (ઔડા)ના રીંગ રોડ ઉપર ટોલ ટેકસ નહી લેવાયઃ વર્ગ-૪ના ૩પ૦૦૦ કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસઃ સફાઇ કામદારો માટે રહેમરાહે નોકરીની જાહેરાતઃ રોજમદારોને કાયમી કરાશેઃ ૮ લાખથી વધુ કર્મચારીઓને ૧-૭-ર૦૧૭થી ડીએમાં વધારો રોકડમાં ચુકવાશે
આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન
   અમદાવાદ તા.૧ર : આજે બપોરબાદ ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી રહી છે તે પુર્વે ગુજરાત સરકારે અનેક મહત્‍વની જાહેરાતો કરી છે. રાજય સરકારે તાજેતરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યા બાદ આજે કર્મચારી વર્ગ માટે બોનસ, ડીએમાં વધારાની જાહેરાત કરી છે તો રાજયમાં આજથી એક સમાન જીડીસીઆર લાગુ કરવાનુ એલાન કર્યુ છે. વાલ્‍મીકી સમાજની માંગણીઓને ધ્‍યાનમાં રાખીને સફાઇ કામદારોના કલ્‍યાણ માટે અનેકવિધ જાહેરાતો કરી છે જેમાં રહેમરાહે નોકરીનો સમાવેશ પણ થાય છે એટલુ જ નહી સરકારે આજે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાનુ પણ એલાન કર્યુ છે. રાજય સરકારે આજે ઔડાના રીંગ રોડ ઉપર ટોલ ટેકસ નાબુદીની પણ જાહેરાત કરી છે.
   આજે બપોરે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરીષદને સંબોધન કરતા નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જાહેરાત કરી હતી કે, ઔડાના રીંગ રોડ ઉપરનો ટોલટેકસ નાબુદ કરવામાં આવે છે આનાથી રાજય સરકાર ઉપર ૮ કરોડનો બોજો પડશે. જો કે આનાથી હજારો વાહન ચાલકોને ફાયદો થશે. રોજ ૧૧૦૦૦થી વધુ વાહનો પસાર થાય છે. તેઓને ફાયદો થશે. જો કે મોટા વાહનોએ જ ટોલ ટેકસ ભરવો પડશે. કાર અને રીક્ષાને મુકિત મળશે.
   નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ હતુ કે ૩પ૦૦૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસ ચુકવવા રાજય સરકારે નિર્ણય લીધો છે. પંચાયત, બોર્ડ નિગમને પણ લાભ થશે. તેમણે જાહેરાત કરી હતી કે સફાઇ કામદારોનું નોકરી દરમિયાન આકસ્‍મીક મોત થાય તો તેઓને ઉંચક રકમ નહી પરંતુ રહેમરાહે નોકરી મળશે. તેમણે કહ્યુ હતુ કે, ૧૬ર નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં સફાઇ કામદારો મોટી સંખ્‍યામાં રોજમદાર છે તેઓને કાયમી કરવા માટે હવેથી રાજય સરકારની પરવાનગી લેવી નહી પડે. મહેકમ ૪૮ ટકાની મર્યાદામાં કાયમી કરી શકાશે.
   તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે, રાજયના આઠ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્‍શનરોને કેન્‍દ્રના ધોરણે એક ટકા મોંઘવારી ભથ્‍થામાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. ૮.ર૦ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્‍શનરોને ૧-૭-ર૦૧૭થી રોકડમાં મોંઘવારી ભથ્‍થુ ચુકવવામાં આવશે. સરકારે કર્મચારી વર્ગની દિવાળી સુધારી દીધી છે.
   રાજય સરકારે આજથી અમલમાં આવે એ રીતે રાજયમાં કોમન જીડીસીઆર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત મકાન ખરીદી પર બિલ્‍ડર અને ખરીદનારને લાભ મળે તે માટેની પ્રક્રિયા સરકારે પુર્ણ કરી કોમન જીડીસીઆરનો અમલ કરવાનુ રાજય સરકારે નક્કી કર્યુ છે. સરકારે જો કે ૪૦ ટકા કપાત કરવાની પધ્‍ધતિ ચાલુ રાખવાનુ નક્કી કર્યુ છે. ગ્રાઉન્‍ડ ફલોર ખુલ્લો રાખી શકાશે. તમામ મહાનગરોનો એક સરખો વિકાસ થાય અને બાંધકામમાં એક સુત્રતા આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.
   આજે રાજય સરકારે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાનુ નક્કી કર્યુ છે. ગઇકાલ સુધીમાં ૧૦૯ કેસ પાછા ખેંચવામાં આવ્‍યા હતા હવે ગૃહ અને કાયદા વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી બીજા ૧૩૬ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આમ કુલ ર૩પ કેસ પાછા ખેંચવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે, આ ૧૩૬ કેસ પાછા ખેંચાશે તેમાં એક કેસમાં ૧૦ આરોપી પણ હોય અને રપ આરોપી પણ હોય. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, રેલ્‍વે સ્‍પર્શતા કેસ પાછા ખેંચવા રેલ્‍વે મંત્રીને અપીલ કરવામાં આવી છે.Source :- http://www.akilanews.com/12102017/main-news/1507803960-115842

રાજ્યના ૫૩૨ જેટલા પી.એસ.આઇ.ની બદલી
   રાજકોટ તા. ૧૨: રાજ્ય પોલીસ તંત્રના ૫૩૨ જેટલા પી.એસ.આઇ.ની બોદલીનો ઘાણવો નીકળ્યો છે. જાણવા મળ્યા મુજબ રાજ્યના પોલીસવડાની કચેરી મારફત આજે મોડી બપોરે બદલીના હુકમો થયાનું જાણવા મળે છે. એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી ચુકેલા ૫૩૨ પી.એસ.આઇ.ની બદલી થઇ છે. આ અગાઉ એસીપી અને ૧૫૧ પી.આઇ.ની બદલીના હુકમો થયા હતાં.
   જે બદલી થઇ છે તેમાં રાજકોટના ૨૮ પી.એસ.આઇ. પણ સામેલ છે.
   રાજકોટના ૨૮નો સમાવેશ
   બદલી થઇ તેમાં રાજકોટના માલવીયાનગરના પી.એસ.આઇ. આર.આર. સોલંકી તથા મહિલા પી.એસ.આઇ. ડી.આર. સોલંકી અને યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એમ.ડી. વિઠલાપરાને મહેસાણા મુકાયા છે. જ્યારે ટ્રાફિક બ્રાંચના એચ.એમ. ધાધલને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
   આ ઉપરાંત પ્ર.નગરના સી. કે. ખરાડીને સુરેન્દ્રનગર, ગાંધીગ્રામના કે. આર. કાપડીયાને સુરેન્દ્રનગર, પ્ર.નગરના બી.એસ. સોલંકી, એસઓજીના એસ. બી. સોલંકી તથા આજીડેમના એમ.આર. પલાસને સુરેન્દ્રનગર તથા તાલુકાના એસ.આર. વરૂને અમરેલી, ટ્રાફિકના એસ.એસ. આનંદને સુરેન્દ્રનગર, એ-ડિવીઝનના કે. પી. સાગઠીયાને સુરેન્દ્રનગર, ટ્રાફિકના બી. કે. પરમારને સુરેન્દ્રનગર, આજીડેમના ઇન્ચાર્જ એચ.આર. કુવાડીયાને દેવભુમિ દ્વારકા, એ-ડિવીઝનના જનકસિંહ રાણાને કચ્છ-ભુજ, કુવાડવાના જે. જે. ચોૈહાણને સુરેન્દ્રનગર, માલવીયાનગરના એચ. ડી. સોલંકીને સુરેન્દ્રનગર, યુનિવર્સિટીના વી.આર.
   બદલી પામેલા પીએસઆઇમાં રાજકોટ શહેરના ૨૮નો સમાવેશ
   .૫૩૨ પી.એસ.આઇ.ની બદલી થઇ તેમાં રાજકોટના માલવીયાનગરના પી.એસ.આઇ. આર.આર. સોલંકી તથા મહિલા પી.એસ.આઇ. ડી.આર. સોલંકી અને યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એમ.ડી. વિઠલાપરાને મહેસાણા મુકાયા છે. જ્યારે ટ્રાફિક બ્રંચના એચ.એમ. ધાધલને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
   આ ઉપરાંત પ્ર.નગરના સી. કે. ખરાડીને સુરેન્દ્રનગર, ગાંધીગ્રામના કે. આર. કાપડીયાને સુરેન્દ્રનગર, પ્ર.નગરના બી.એસ. સોલંકી, એસઓજીના એસ. બી. સોલંકી તથા આજીડેમના એમ.આર. પલાસને સુરેન્દ્રનગર તથા તાલુકાના એસ.આર. વરૂને અમરેલી, ટ્રાફિકના એસ.એસ. આનંદને સુરેન્દ્રનગર, એ-ડિવીઝનના કે. પી. સાગઠીયાને સુરેન્દ્રનગર, ટ્રાફિકના બી. કે. પરમારને સુરેન્દ્રનગર, આજીડેમના ઇન્ચાર્જ એચ.આર. કુવાડીયાને દેવભુમિ દ્વારકા, એ-ડિવીઝનના જનકસિંહ રાણાને કચ્છ-ભુજ, કુવાડવાના જે. જે. ચોૈહાણને સુરેન્દ્રનગર, માલવીયાનગરના એચ. ડી. સોલંકીને સુરેન્દ્રનગર, યુનિવર્સિટીના વી.આર. જાડેજાને સુરેન્દ્રનગર, તાલુકાના એમ.એમ. સોનરાતને જામનગર, થોરાળાના બી.એમ. બગડાને સી.આઇ.ડી. ક્રાઇમ, બી-ડિવીઝનના વી. કે. કોઠીયાને અમદાવાદ, થોરાળાના વી.એસ. લાંબા, માલવીયાનગરના કે. સી. વાઘેલા તથા કુવાડવાના ડી. ડી. લાડુમોરને જામનગર તથા મહિલા પોલીસ મથકના એમ. જે. ત્રિવેદીને ગાંધીનગર ઇન્ટેલીજન્સ તથા સાઇબર સેલના એલ.આર. ગોહિલને જામનગર તથા એ-ડિવીઝનના એલ.એલ. ચાવડાને કચ્છ પૂર્વ (ગાંધીધામ)માં મુકાયા છે. મહિલા પોલીસ મથકના વી.આર. ચંદેરાને જામનગર મુકાયા છે. જાડેજાને સુરેન્દ્રનગર, તાલુકાના એમ.એમ. સોનરાતને જામનગર, થોરાળાના બી.એમ. બગડાને સી.આઇ.ડી. ક્રાઇમ, બી-ડિવીઝનના વી. કે. કોઠીયાને અમદાવાદ, થોરાળાના વી.એસ. લાંબા, માલવીયાનગરના કે. સી. વાઘેલા તથા કુવાડવાના ડી. ડી. લાડુમોરને જામનગર તથા મહિલા પોલીસ મથકના એમ. જે. ત્રિવેદીને ગાંધીનગર ઇન્ટેલીજન્સ તથા સાઇબર સેલના એલ.આર. ગોહિલને જામનગર તથા એ-ડિવીઝનના એલ.એલ. ચાવડાને કચ્છ પૂર્વ (ગાંધીધામ)માં મુકાયા છે. મહિલા પોલીસ મથકના વી.આર. ચંદેરાને જામનગર મુકાયા છે.
   સાત એસીપીની બદલીના હુકમોમાં ફેરફાર થયો
   ડો. હર્ષદ પટેલને બરોડાથી હાઇકોર્ટમાં મુકાયા
   રાજકોટઃ રાજ્યના સાત એસીપીની બદલીના હુકમોમાં ફેરફાર થયો છે. જેમાં રાજકોટ શહેરના પૂર્વ એસીપી ડો. હર્ષદ પટેલને ગુજરાત હાઇકોર્ટ ખાતે મુકવામાં આવ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં એસીપી પટેલની પહેલા બરોડા ખાતે થઇ હતી.
Source :- http://www.akilanews.com/12102017/gujarat-news/1507806093-64613
હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો
હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ  : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો   પાસના સુપ્રિમો શ્રી હાર્દિક પટેલે સરકારની ચૂંટણીલક્ષી જાહેરાતોની આકરી ઝાટકણી કાઢતા આજે બપોરે જણાવ્યુ છે કે પાટીદારો સામેના તમામ કેસોમાં સરકાર ફરીયાદી છે, ત્યારે તેના ઉપર ત્વરીત નિર્ણય કરવો જોઈએ. હાર્દિકે કહ્યુ કે માત્ર જાહેરાત નહિં અમલ કરો, તેણે કહ્યુ સરકારની તમામ જાહેરાતો ચૂંટણીલક્ષી છે, આકરા મિજાજમાં હાર્દિક પટેલે કહ્યું કે આ આરપારની લડાઈ છે, હવે વાતચીત માટે કોઈ સમય નથી અને આ સરકારને હટાવો.
 Source :-http://www.akilanews.com/12102017/gujarat-news/1507808004-64622
 
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

* Happy Diwali * & * Happy New Year * * Good bye Vikram Samvat Year 2072 * - * Welcome Vikram Samvat Year 2073 *

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/