સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 4 January 2018

આઝાદીના 70 વર્ષે પણ દલિતો પર અત્યાચારઃ કોરેગાંવ મુદ્દે હાર્દિક - કોરેગાંવ મુદ્દે સુરતમાં દલિત સંગઠનોએ રેલી કાઢી, રોડ પર સર્જાયો ટ્રાફિકજામ - મહારાષ્ટ્ર હિંસાનો વિરોધ જૂનાગઢમાં, શાંતિપૂર્ણ બંધ, દલિત સંગઠનોની રેલી - પુણેમાં જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે FIR; મુંબઈમાં અનેકની અટકાયત - કપરાડા અને ડાંગમાં શિક્ષકોના કારણે ભાજપ હાર્યું ;ભાજપના સાંસદ કે,સી,પટેલની ધમકીથી ચકચાર

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

આઝાદીના 70 વર્ષે પણ દલિતો પર અત્યાચારઃ કોરેગાંવ મુદ્દે હાર્દિક

રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે: હાર્દિક પટેલ
સુરતઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો, આ કેસમાં આજે(ગુરૂવાર) મુદત હોય હાર્દિક કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે ભીમા કોરેગાંવ અંગે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની વાત છે. દેશ આઝાદ થયાના 70 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ દુઃખની વાત છે. 



ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છેઃ હાર્દિક

હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપ્યા બાદ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચમાં સમયસર હાજર રહ્યો છું. અને સુરતની લાજપોર જેલમાં બંધ આંદોલનકારીઓની મુલાકાતનું આયોજન કર્યું છે. ભાજપના ધારાસભ્યોમાં જોવા મળેલી નારાજગી અંગે જણાવ્યું હતું કે, કોઈ પણની સરકાર હોય 58થી 60 ખાતા હોય છે. ભાજપના 99 ધારાસભ્ય છે. સિનિયરોને ખાતા ફાળવી દેવા જોઈએ. જેથી કોઈ નારાજ ન થાય. રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે.

પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું: હાર્દિક

કોંગ્રેસના વિરોધપક્ષના નેતાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ સારી રીતે સમજે છે કે, તમામ સમાજને સાથે રાખી ચાલવાનું હોય છે. કોંગ્રેસને આટલી સીટ મળવા પાછળ પાટીદાર અનામત આંદોલન છે. કોંગ્રેસમાંથી કોઈ યુવા નેતા, લોકોને ગમતો નેતા આવે તો સારી વાત છે. પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું છે. 
Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-hardik-patel-present-in-court-about-sedition-case-hardik-say-about-bhima-koregaon-violence-NOR.html?ref=ht

કોરેગાંવ મુદ્દે સુરતમાં દલિત સંગઠનોએ રેલી કાઢી, રોડ પર સર્જાયો ટ્રાફિકજામ

સુરતના દલિત સંગઠનોએ રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી
સુરતઃ મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસાની આગની જ્વાળાઓ સુરત સુધી પહોંચી ગઈ છે. મુંબઇ, ઔરંગાબાદ અને અહમદનગર સહિતનાં શહેરો બાદ સુરતના દલિત સંગઠનોએ રિંગ રોડ સ્થિત આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. અને કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. દરમિયાન કલેક્ટર કચેરી બહાર રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

મહારાષ્ટ્રના સીએમના રાજીનામાની માંગ

મહારાષ્ટ્રના પુણેમાં સોમવારે ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી સાલગીરી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જેને કારણે દલિત સંગઠનોએ મંગળવારથી મહારાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. દલિત સંગઠનોએ સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે એક પેસેન્જર ટ્રેનને તેમજ એક માલગાડીને અટકાવી હતી. ત્યારબાદ આજે ફરી દલિત સંગઠનોએ રિંગ રોડ આંબેડકર પ્રિતમાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. કલેક્ટર કચેરી બહાર લોકો રસ્તા પર સૂઈ જઈ નારેબાજી કરી હતી. મહારાષ્ટ્રના સીએમના રાજીનામાની માંગ કરી દલિત સંગઠનોએ કલેક્ટરને ભીમા કોરેગાવ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું હતું.

Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-bhima-koregaon-violence-rally-in-surat-traffic-jam-held-on-rally-root-NOR.html?ref=ht

મહારાષ્ટ્ર હિંસાનો વિરોધ જૂનાગઢમાં, શાંતિપૂર્ણ બંધ, દલિત સંગઠનોની રેલી

બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ સદંતર બંધ રાખવામાં આવ્યા હતા
જૂનાગઢ: મહારાષ્ટ્રના પુણે પાસે ભીમા કોંરેગાંવમાં થયેલી હિંસાની જ્વાળા ગુજરાત સુધી પહોચી ગઈ છે. બુધવારે ધોરાજીમાં દલિત સંગઠનોએ એસટી બસ સળગાવી હતી. સુરતમાં ટ્રેનો રોકવામાં આવી. વાપીમાં હાઈવે પર ચક્કાજામ કરાયો. ગુજરાતની 46 ST બસ અટકાવી દેવાઈ. ઉપલેટા, જામનગર, અમદાવાદ, ગાંધીનગરના રૂટ બંધ કરવાની ફરજ પડાઈ હતી. ત્યારે બીજા દિવસે પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેની અસર જોવા મળી હતી. દલિત સંગઠનોએ રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કર્યો હતો. તો બંધની અસરને પગલે બસ વ્યવહાર અને પેટ્રોલપંપ સદંતર બંધ રાખવામાં આવ્યા હતા.

ક્યાં જોવા મળી બંધની અસર
જૂનાગઢના વંથલીમાં દલિતોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. 20 મિનિટથી વધારે સમય સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી. તો જૂનાગઢમાં પણ રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ ચક્કાજામ કર્યો હતો. બંધ પગલે જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાલીખમ થઈ ગયું હતું અને બસો બસ ડેપોમાં જ ખડકી દેવામાં આવી હતી. જનજીવનને બંધની અસર જોવા મળી રહી છે.

 Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-bhima-koregaon-riots-opposite-in-jundagadh-and-gir-somnath-gujarati-news-5784165-PHO.html?ref=ht

પુણેમાં જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે FIR; મુંબઈમાં અનેકની અટકાયત

પુણે પોલીસે કુલ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ વિરૂદ્ધ FIR દાખલ કરી છે
મુંબઈ/પુણેઃ ભીમા-કોરેગાંવ યુદ્ધની વરસી પર ભડકેલી હિંસાની અસર સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. બુધવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં અનેક સંગઠનોએ રાજ્ય બંધનું એલાન કર્યુ હતું. આ દરમિયાન મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં હિંસા થઈ હતી. પુણે પોલીસે કુલ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ વિરૂદ્ધ FIR દાખલ કરી છે. તો મુંબઈ પોલીસે ગુરૂવારે છાત્ર ભારતીનો કાર્યક્રમ રદ કરી અનેક લોકોની અટકાયત કરી છે. આ કાર્યક્રમમાં મેવાણી અને ખાલિદ વક્ત તરીકે હાજર રહેવાના હતા.

મેવાણી-ખાલિદ વિરૂદ્ધ કેસ

- ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ વિરૂદ્ધ કલમ 153(એ), 505, 117 અંતર્ગત પુણેમાં FIR દાખલ કરવામાં આવી છે.
- આ બંને પર પુણેમાં થયેલાં કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ દેવાનો આરોપ છે.
- મહારાષ્ટ્ર બંધ દરમિયાન બુધવારે થયેલી હિંસા પછી મુંબઈ પોલીસે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને વિદ્યાર્થી નેતા ખાલિદને કાર્યક્રમના આયોજન માટે અનુમતી આપી ન હતી.

પોલીસે હિંસાનો હવાલો આપી કાર્યક્રમ રદ કર્યો, અનેકની કરી અટકાયત

- આ બંને નેતા વક્તા તરીકે છાત્ર ભારતીના એક કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. છાત્ર ભારતનીના ઉપાધ્યક્ષ સાગર ભાલેરાવે આ અંગે જાણકારી આપી હતી. 
- સાગર ભાલેરાવે જણાવ્યું કે, "ભાઈદાસ હોલને પોતાના સંગઠનના ઓલ ઈન્ડિયા સમિટ માટે રિઝર્વ કર્યું હતું. પરંતુ પોલીસ હવે આ કાર્યક્રમમાં કોઈને જવા નથી દેતી. મુંબઈ પોલીસ હિંસાનો હવાલો આપીને કાર્યક્રમને રદ કરી દીધો છે."
- મુંબઈ પોલીસે કાર્યક્રમ સ્થળ પર પહોંચેલા લોકોને અંદર જતાં રોક્યા હતા ત્યારે વિદ્યાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચારો પણ થયા હતા અને લોકો પરાણે અંદર જવાના પ્રયાસ કરતા હતા.
- આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓમાં ઘર્ષણ પણ થયું હતું. પોલીસે સાવચેતીના ભાગરૂપે અનેકની અટકાયત પણ કરી છે. 
- મુંબઈ પોલીસનું કહેવું છે કે, "આ લોકોએ કલમ 144નું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી તેઓની અટકાયત કરવામાં આવી છે."
મેવાણીએ પીએમ મોદી પર કર્યા હતા વાકપ્રહાર

- જિજ્ઞેશ મેવાણીએ 31 ડિસેમ્બરનાં રોજ ભીમા-કોરેગાવમાં આપેલાં એક ભાષણમાં પીએમ મોદી વિરૂદ્ધ તીખા શબ્દોમાં નિંદા કરી હતી.
- મેવાણીએ કહ્યું હતું કે, "ગુજરાત પછી સમગ્ર દેશમાં આપણે 56 ઈંચની છાતીને ફાડીને રાખી દઈશું. આ દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 'કર્મયોગી' પુસ્તક લખ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે સફાઈકર્મીઓને સફાઈ કરવામાં આધ્યાત્મિક આનંદ મળે છે. આ જ નવ પેશવાઇ છે. હું પીએમને આહ્વાન કરૂ છું કે તેઓ અહીં આવે અને દલિતોની સાથે એક દિવસ ગટરમાં ઉતરીને નવી પેશવાઇનો આનંદ લે."
શું છે સમગ્ર મામલો

- આ પૂરો વિવાદ 1લી જાન્યુઆરી, 1818નાં રોજ થયેલાં તે યુદ્ધને લઈને છે જેમાં અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવ ભીમાં લડાઈ થઈ હતી.
- આ યુદ્ધમાં અંગ્રેજોએ પશવાને હરાવ્યાં હતા જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત તે હતી કે ઇસ્ટ ઈન્ડિયાની સેનામાં મોટા ભાગના લોકો દલિત હતા.
- આ યુદ્ધમાં જીતનો જશ્ન મનાવવા માટે દલિત જૂથ દ્વારા પુણેમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે મુદ્દે વિવાદ થયો હતો.
- દલિત અને મરાઠા જૂથનાં લોકો આમનેસામને આવી ગયા હતા. આ કાર્યક્રમમાં જ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદે ભાષણ આપ્યું હતું. 
- સોમવારે પુણેથી ભડકેલી હિંસાની આગ મંગળવારે મુંબઈ સહિત રાજ્યના અને વિસ્તારોમાં ફેલાઈ હતી. દલિત અને હિંદુવાદી સંગઠનો આમને સામને આવી ગયા હતા.
- મુંબઈ પોલીસના પીઆરઓએ કહ્યું હતું કે અનેક વિસ્તારોમાંથી 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
 Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-pune-policer-registerd-fir-against-jignesh-mevani-and-umar-khalid-gujarati-news-5784181-PHO.html?ref=ht

કપરાડા અને ડાંગમાં શિક્ષકોના કારણે ભાજપ હાર્યું ;ભાજપના સાંસદ કે,સી,પટેલની ધમકીથી ચકચાર પારડીના કાર્યક્રમમાં શિક્ષકોને જોઈ લેવા કાર્યકરોને સૂચના ;સાંસદની ખુલી ધમકીને લઈને યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ અમદાવાદ : રાજ્યમાં પાતળી બહુમતીથી ભાજપની છઠ્ઠી વખત સરકાર બની છે ત્યારે ભાજપના લક્ષ્યાંક કરતા અકિલા ઓછી બેઠક આવતા અને હાર માટે કોઈને નિમિત્ત માનીને ભાજપના નેતાઓ હિસાબ કરવા લાગ્યા હોવાનું ભાજપના સાંસદની ભાષા પરથી જણાઈ રહયું છે ભાજપના સાંસદ કે.સી. પટેલે પોતાના જિલ્લાના શિક્ષકોને ખુલ્લી ધમકી અકીલા આપી છે. પારડી ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમ દરમિયાન સાંસદે જાહેર મંચ પરથી પોતાના કાર્યકર્તાઓને સૂચના પણ આપી હતી કે જ્યાં પણ શિક્ષકો નોકરી કરી રહ્યા હોય ત્યાં તેમને જોઈ લો.કારણ કે, શિક્ષકોના કારણે જ કપરાડા અને ડાંગમાં ભાજપની હાર થઈ છે બીજી તરફ સાંસદની આ ધમકીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે કપરાડાના ધારાસભ્ય જિતુ ચૌધરીએ આ ખુલ્લી ધમકીને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/04-01-2018/68187

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

1 comment: